(એજન્સી) તા.૧૩
તાજેતરના એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, નેતાન્યાહૂએ ઈરાની જનતાને સ્વતંત્રતા મેળવવા વિનંતી કરી ભારપૂર્વક જણાવ્યું કે, ઈરાન વિરૂદ્ધ સંયુક્ત યુએસ-ઇઝરાયેલ પહેલ સફળ થઈ રહી છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ગુરૂવારે કહ્યું કે, ઇઝરાયેલી હુમલાઓમાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોના મૃત્યુ થયા છે અને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ મુજતબા ખામેનાઇને ‘રિવોલ્યુશનરી ગાડ્ર્સના કઠપૂતળી’ તરીકે નિંદા કરી, જે જાહેરમાં દેખાઈ શકતા નથી. ગુરૂવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, નેતાન્યાહૂએ ઈરાની જનતાને સંબોધતા કહ્યું કે, ‘સ્વતંત્રતાના નવા માર્ગ’ માટેનો સમય નજીક આવી રહ્યો છે અને ઇઝરાયેલ તેમની સાથે ઉભું છે ભારપૂર્વક જણાવ્યું કે, ઈરાન વિરૂદ્ધ યુએસ-ઇઝરાયેલ સંયુક્ત અભિયાન ‘અપેક્ષા કરતાં વધુ સારૂં’ ચાલી રહ્યું છે અને ઇઝરાયેલ ‘પહેલા કરતાં વધુ મજબૂત’ છે, તેમણે કહ્યું કે, ખામેનાઇને પણ ‘જીવન વીમો નથી’. ઇઝરાયેલ ખામેનાઇ અને હિઝબુલ્લાહ નેતા નઇમ કાસેમને નિશાન બનાવશે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં નેતાન્યાહૂએ કહ્યું, ‘હું આતંકવાદી સંગઠનોના કોઈપણ નેતા પર જીવન વીમા પૉલિસી નહીં લઉં.’ મુજતબાના પિતા, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઇ, ૨૮ ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયેલ સંયુક્ત હુમલામાં માર્યા ગયા હતા. ઈરાનમાં શાસનને ઉથલાવી પાડવાના વિષય પર ઇઝરાયેલી વડાપ્રધાને કહ્યું કે, યુએસ અને ઇઝરાયેલ ‘ઈરાની લોકો માટે એવી પરિસ્થિતિઓ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે જેથી તેઓ જુલમના ક્રૂર શાસનને દૂર કરી શકે’. ‘અમે શેરીઓમાં અને ચેકપોઇન્ટ પર રિવોલ્યુશનરી ગાડ્ર્સ અને બાસીજ પર કારમી પ્રહારો કરી રહ્યા છીએ અને અમે હજુ પણ સક્રિય છીએ,’ તેમણે કહ્યું. ‘જ્યારે તમે સ્વતંત્રતાના નવા માર્ગ પર આગળ વધી શકો છો તે ક્ષણ નજીક આવી રહી છે. અમે તમારી સાથે ઉભા છીએ, અમે તમને મદદ કરી રહ્યા છીએ. પરંતુ દિવસના અંતે તે તમારા પર નિર્ભર છે ! તે તમારા હાથમાં છે,’ તેમણે ઈરાનના લોકોને સંદેશ આપતા કહ્યું.
નેતાન્યાહુએ ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોના મૃત્યુની જાહેરાત કરી, મુજતબા ખામેનાઇને ‘જીવન સુરક્ષા નહીં’ એવી પણ ચીમકી
Gujarat Today
Leave A Reply